| Home > A To Z od Death |
| |
| |
મરણ દ્વારા આ સંસારમાંથી વિદાય લેવાનો પ્રસંગ આપણા બધાનો યોગ્ય સમયે આવવાનો જ છે. તો મરણ શું છે ? મરણ કેમ થાય છે ? આપણને મરણનો ભય કેમ અનુભવાય છે? મરણ કેમ થાય છે? આપણને મરણનો ભય કેમ અનુભવાય છે? શું મરણને અટકાવી ન શકાય? આપણે બધાં સ્વજનના મરણ કાળે શોક તથા કલ્પાંત કેમ કરીએ છીએ?
મરણ બાદ આત્મા ક્યાં જાય છે? આત્માનું શું થાય છે? આવા તમામ પ્રશ્નોના ઉત્તર પરત્વે એક ચિંતનાત્મક અભ્યાસ કરી અર્થાત્ મનોમંથન કરી મારી શક્તિ તથા મારા જ્ઞાનના ક્ષયોપશમના આધારે શક્ય તેટલો ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. આ ચિંતનમાં યથાર્થતા અનુભવાય તો જ્ઞાની પરમાત્માઓની પ્રેરણા છે એમ માનશો, ને કાંઈ ત્રુટી અથવા દોષ દેખાય તો તે મારી ક્ષતિ છે મારા ચિંતનનો દોષ છે અર્થાત્ મારામાં અધૂરપ છે એમ માનશો. છેવટે તો કેવળજ્ઞાની સિવાય કોઈ પણ સદેહી પરિપૂર્ણ નથી.
મારા ચિંતનાત્મક અભ્યસને શબ્દ દેહ આપવાનું મુખ્ય પ્રયોજન મરણના ભયને ટાળવાનું છે તથા મરણ કાળે થતાં શોક તથા કલ્પાંત ઘટાડવાનું છે. આ બાબતે વાંચક મિત્રોમાં અંશે પણ પરિવર્તન થશે તો તેમાં મારી સફળતા માનીશ. મારો આ લેખ કોઈ એક જાતિ કે ચોક્કસ કુળ, ધર્મના લોકોને લાગુ પડતો નથી પણ જે લોકો સંસાર પરિભ્રમણથી થાકેલા છે, ત્રાસેલા છે, જેમને ખરેખર આ સંસાર દુઃખમય અનુભવાય છે, અન્ય શબ્દોમાં એમ કહેવાય છે કે જે લોકો મરવાના છે તે તમામને લાગુ પડે છે.
આધ્યાત્મિક જગતમાં પ્રવેશ પામવા માટે જેઓ પરોક્ષ રીતે નિમિત્ત બન્યા છે અને જેમના ચિત્ર દર્શનથી સતત પ્રેરણા મળતી રહે છે તે પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર તથા પૂજ્રય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પ્રત્યે એઓ બન્નેનું ઋણ અદા કરીને કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના સમાધિ દિવસ પ્રસંગે આ નાનકડી ચિંતનાત્મક વિચારો અહીં પ્રદર્શિત કરાયા છે. |
| |
ૐ શ્રી સર્વજ્ઞાય નમઃ
મૃત્યુનું મનોમંથન |
| |
| મરણ તથા મૃત્યુ એકાર્થ વાચક શબ્દ છે. જીવ અર્થાત્ આત્મા અને દેહનો સંયોગ એટલે જન્મ અને વિયોગ એટલે મરણ. આત્માને દેહનો સંયોગ થયો હોવાથી વિયોગ નિયમથી નિશ્ચિત છે. આમ જન્મ તથા મરણની ગટતી ઘટના સહજ છે. જો જન્મ જ ન થાય તો મરણ પણ નથી. આત્મા પોતે અજન્મ તથા અમરણ સ્વભાવ વાળો હોવાથી આત્માનું તો મરણ થતું જ નથી. જીવાત્મા દેહનો ત્યાગ કરીને ચાલી જાય પછી દેહને બાળીને કે જમીનમાં દાટીને વિલય તો અન્ય લોકો કરે છે. આમ છાં વ્યવહારમાં જન્મ તથા મરણ શબ્દોનું પ્રયોજન થાય જ છે. |
| |
(૧) 'માનવ' તથા 'મનુષ્ય' શબ્દોનું રહસ્ય
'માનવ' શબ્દમાં 'માન' શબ્દ ર્ગિભત છે. અને 'મનુષ્ય' શબ્દમાં 'મન' શબ્દ ર્ગિભત છે. કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રના મતાનુસાર જો માન કષાય ન હોત તો મનુષ્યનો અર્થાત્ માનવનો અહીં જ મોક્ષ હોત. મન શબ્દ દર્શાવે છે કે મનુષ્યને જ પૂર્ણ વિકસીત મનની પ્રાપ્તિ થયેલી છે. આ કારણથી મનુષ્ય સંજ્ઞા પંચેન્દ્રિય છે. પૂર્ણ વિકસીત મનની પ્રિત ને કારણે એક મનુષ્ય પર્યાયનો માનવી ચિંતન તથા મનન કરી શકે છે અને તે દ્વારા સત્ય-અસત્ય, લાભ-અલાભ તથા હેય-ઉપાદેય આદિનો વિવેક કરી શકે છે. આ કારણથી સંસારની ચાર ગતિના પરિભ્રમણમાંથી છૂટવા માટે એક માત્ર મનુષ્ય ભવ જ કાર્યકારી છે. મનુષ્ય પોતાને પ્રાપ્ત પૂર્ણ વિકસીત મનનો યથાર્થ ઉપયોગ કરે તો પોતાના આત્માના કલ્યાણની પ્રવૃત્તિ કરી સમ્યકદર્શન પ્રગટ કરીને મક્ષને પામે, અને તેમ ન કરતાં વિપરીત ઉપયોગ કરે તો અનંત સંસારનો બંધ કરીને નરક તથા નિગોદમાં પણ જઈ શકે છે. હવે આપણે માનવે જ નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જવું છે ? આપણે ક્યાંથી આવ્યા અર્થાત્ કઈ ગતિમાંથી આપણે આવ્યા છે, તે તો નિશ્ચિત જ છે. હવે માત્ર ક્યાં જવું છે તે જ વિચારવાનું છે. |
| |
(૨) મનનો થતો ઉપયોગ
આપણે આપણા જીવનમાં તમામ પ્રકારના વિચારો કરીએ છીએ. ચિંતન, મનન, પણ કરીએ છીએ, પરંતુ એક માત્ર મરણ પરત્વે કોઈ ચિંતન-મનન કરતા નથી. આપણે આપણી આસપાસના મનુષ્યોને તથા તીર્યંચને મરતા દેખીએ છીએ. આપણે પણ એક દિવસ મરવાનું છે એમ જાણીએ પણ છીએ. છતાં પણ 'હું મરવાનો છું' એમ માનવા મન તૈયાર થતું નથી. મરણ પરત્વેનું આપણું જ્ઞાન તો યથાર્થ છે પણ તે પ્રમાણેની શ્રધ્ધા યથાર્થ થઈ નથી. તેથી સ્વજનના મરણ પ્રસંગે આપણે ખૂબ કલ્પાંત કરીએ છીએ. |
| |
(૩) જન્મ તથા મરણ થવાનું કારણ
સંસારના જીવો અનાદિ કાળથી વિકારી ભાવો દ્વારા કર્મનું ઉપાર્જન કરે છે. ઉર્પાિજત કરેલા પોતાના કર્મોને બોગવવા માટે દરેક જીવને દેહની પ્રાપ્તિ થયા જ કરે છે, અને એ રીતે સંસારની ચાર ગતિમાં જન્મ ધારણ કરીને પરિભ્રમણ કરવું જ પડે છે. ધારણ કરેલા દેહ દ્વારા નિયત કર્મોનો ભોગવટો પૂર્ણ થતાં દેહના વિયોગ રૂપી મરણ પણ થાય જ છે. જીવે શુભભાવ દ્વારા પુણ્ય કર્મનું ઉપાર્જન કર્યું હશે તો તેને સારી ઉચ્ચ ગતિ પ્રાપ્ત થશે અુને અશુભ ભાવ દ્વારા પાપકર્મનું ઉપાર્જન કર્યું હશે તો નરક કે તીર્યંચ જેવી નિમ્ન ગતિ પ્રાપ્ત થશે. જ્રયાં સુધી કર્મનો ભોગવટો બાકી હશે ત્યાં સુધી જન્મ-મરણની પ્રક્રિયા સહજ રીતે ચાલ્યા જ કરશે. |
| |
(૪) મરણનો ભય અને ભયનું કારણ
સંસારના જીવોને મોટામાં મોટો ભય હોય તો તે મરણનો છે. સંસારના જીવોની ધારણ કરેલા દેહમાં એટલી બધી એકત્વ બુધ્ધિ છે કે પોતાનું મરણ થશે તો દેહ દ્વારા ભોગવાતા સંસાર સુખનો વિયોગ થશે, પોતે જીવનભર મહેનત કરીને ઉર્પાિજત કરેલી ભૌતિક સંપત્તિને મુકીને ચાલ્યા જવું પડશે, એવા વિચારો માત્રથી તે ભયબીત થાય છે. પ્રત્યેક ભવમાં આત્મા તથા દેહના વિયોગરૂપી ભવ મરણતો બધાં જીવોનું એક જ વખત થાય છે. પણ મરણના ભયરૂપી ભાવ મરણ અનેક વખત થાય છે. મરણના ભયથી આત્માના ભાવરૂપ મરણ પ્રત્યેક ક્ષણે થાય છે. આ કારણથી કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર પણ કહે છે ઃ ''ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો ! રાચી રહો?'' સંસારના જીવો રાગ-દ્વેષ, ક્રોધાદિ કષાય તતા હિંસાના ભાવ કરી, એ રીતે પણ અનેક વખત આત્મના ઘાતરૂપ ભાવમરણ કરે છે. આ પ્રકારના બાવમરણના પરિણામસ્વરૂપ અનંત સંસારનો બંધ કરે છે. આશ્ર્વર્યની વાત એ છે કે સંસારના જીવોને વર્તમાન દેહના ભવમરણનો ડર લાગે છે - ભય લાગે છે પણ અનંત જન્મ - મરણના કારણરૂપી રાગ-દ્વેષ તથા વિકારી ભાવો કરત વખતે ભાવ મરણનો ડર કે ભય લાગતો નથી. ખરેખર તો મરણ ભયંકર નથી પણ મરણનો ભય ભયંકર છે. |
| |
(૫) સ્વજનના મૃત્યુ પ્રસંગે થતા શોકનું કારણ
સંસારમાં એક કુંટુંબમાં સાથે રહેલા જીવો (સભ્યો) પરસ્પરની મોહાસક્તિને કારણે કુટુંબના સહવાસને કાયમનો માની લેવાની ભૂલ કરે છે. આ સહવાસ કાયમી નથી એવું જ્ઞાન તો ધરાવે છે પણ જ્ઞાન અનુસાર માન્યતા થવી જોઈએ અર્થાત્ શ્રધ્ધા હોવી જોઈએ તે શ્રધ્ધા થઈ ન હોવાથી સ્વજનના વિરહને સહન કરી શકતા નથી. સ્વજનનો વિયોગ થવાથી જુદાઈને સહન કરી શકતા નથી. સ્વજનની ચિર વિદાયના કાળે અનુભવાતા શોકનું કારણ આ જ એક છે. |
| |
(૬) સ્વજનના મરણ પ્રસંગે શોક તથા કલ્પાંત કરવાથી શું થાય ?
સામાન્ય રીતે મોટાભાગના લોકો સ્વજનના મરણ પ્રસંગે શોક તથા કલ્પાંત કરે છે. સ્વજન પરત્વે કેળવેલા રાગના પ્રમાણમાં શોક તથા દુઃખનો અનુભવ થાય તે સ્વાભાવિક છે. આમ છતાં મરણની વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં અને રાગ તથા કલ્પાંત દુઃખદાયક છે. એવી સમજ આવે તો દુઃખના ભાવને જરૂર હળવા બનાવી શકાય. સ્વજના મરણ પ્રસંગે શોક તથા કલ્પાંત કરવાથી :
(૧) ચિત્ત અસ્થિર બને છે, આત્માનો ઘાત થાય છે અને અશાતા વેદનીય કર્મનો બંધ થાય છે.
(૨) આપણું ચિત્ત શોકગ્રસ્ત હોય ત્યાં સુધી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ નષ્ટ પામે છે અને ધર્મની પ્રવૃત્તિ થતી નથી.
(૩) બુધ્ધિમાં વિપરીતતા આવવાથી ન કરવા જેવા કામ ઈચ્છા ન હોવા છતાં થઈ જાય છે.
(૪) ચિત્ત તથા દેહ પર વિપરીત અસર થતાં શરીર તથા મન રોગ ગ્રસ્ત થાય છે.
આવા જીવો મરણ પામીને દુર્ગતિ પ્રાપ્ત કરી સંસાર વધારે છે. |
| |
(૭) મરણના પ્રસંગે વિવેકી પુરૂષોનો અભિગમ :
વિવેકી પુરૂષોનું વર્તન અન્યથી ભિન્ન પ્રકારનું છે. તેઓ સ્વજન સાથે વ્યવહાર સંબંધમાં રહેવાનું બને ત્યારે પણ એક ધર્મશાળામાં, મેળામાં કે રેલગાડીના ડબ્બામાં મળ્યા હોય તેવી રીતે અલિપ્ત રહીને આત્મ જાગૃતિપૂર્વક વર્તન કરે છે. પાણીમાં કમળ પાણીના સ્પર્શથી રહિત પણે રહે છે તેમ આવા વિવેકી જીવો સંસારમાં કુટુંબના સભ્યો જોડે જળકમળવત્ અનાસ્કત ભાવે રહીને પોતાના આત્માને ચીકણા કર્મોથી બાંધતા નથી. ખપ પૂરતો નિર્લેપ પૂર્વક પ્રેમમય વ્યવહાર કરે છે, અને અંતરથી ન્યારા રહે છે. આ કારણથી તેમને સ્વજનાદિના વિયોગથી વિશેષ દુઃખ થતું નથી. અને જો થાય તો આત્મ જાગૃતિની અસ્થિરતાને કારણે ક્ષણ પુરતું થાય છે. પોતાના વિવેકબુધ્ધિના સહારે તેઓ પુનઃ સ્વસ્થતા અર્થાત્ સ્વસ્થિતિ પ્રાપ્ત કરી લે છે. |
| |
(૮) મરણની સહજતા :
આપણે જાણીએ છીએ કે ફળ પરિપક્વ થતાં વૃક્ષની ડાળી ઉપરથી ડીંટાથી ભિન્ન પડી જમીન પર ખરી પડે છે જમીન પર પડતું ફળ ડીંટાને સહેજ પણ દુઃખ કે ત્રાસ આપતું નથી. તેવી જ રીતે આયુકર્મ સમાપ્ત થતાં જીવ વર્તમાન દેહનો ત્યાગ કરી દેહથી ભિન્ન પડીને ચાલ્યો જાય છે.
દિવસભર સખત મજુરી કરીને થાકેલો મજુર દિવસના અંતે વિશ્રામ ઈચ્છે છે. દિવસભર ખૂબ રમીને થાકેલું બાળક ઉંઘની સોડામાં ભરાય છે. વૃક્ષ પર પાકેલું ફળ સહજ રીતે વૃક્ષની ડાળીનો ત્યાગ કરી જમીન પર પડી માટી સાથે ભળીને નવું જીવન શરૂ કરવાની તૈયારી કરે છે તેમ, મનુષ્યે પણ પોતાના વર્તમાન ભવને સાર્થક કરી પોતાનું કાર્ય પુરૃં કરીને સહજ રીતે વર્તમાન દેહને ત્યાગવાની ભાવના ભાવવી જોઈએ, અને અધૂરા રહેલા આત્મ કલ્યાણના કાર્યને પૂર્ણ કરવા તદ્અનુરૂપ માનવ દેહની પ્રાપ્તિની ઝંખના કરવી જોઈએ. અન્ય શબ્દોમાં એમ કહેવાય કે આપણે અનાસક્ત ભાવે વર્તમાન દેહનો ત્યાગ કરવાની ભાવના ભાવવી જોઈએ. આ પ્રકારનું મરણ છેલ્લી ઘડીએ અચાનક થતું નથી. તેના માટે ઠીક ઠીક સમય આગળથી તૈયારી કરવી પડે છે. આ માટે જગતના ભોગ્ય પદાર્થોની વ્યર્થતા જાણી તેમનાથી ભાવાત્મક રીતે ભિન્ન પડી નિજ આત્માના કલ્યાણ પ્રતિ જાગૃતિ લાવવી પડશે. |
| |
(૯) મરણ સમયે અનુભવાતી વેદના
જન્મ સમયે જીવને જેવી રીતે વેદના સહન કરવી પડે છે તેવી જ રીતે મરણ સમયે પણ વર્તમાન દેહનો ત્યાગ કરતી વખતે વેદના સહન કરવી પડે છે. જ્રયારે મરણની ઘડી નજીક આવે છે ત્યારે અમુક સમય આગળથી તેનો અણસાર ઘણાને આવી પણ જાય છે. પોતાના દેહ પરત્વે જેટલા પ્રમાણમાં મોહ કર્યો હોય તેટલા પ્રમાણમાં મરણ કાળે વર્તમાન દેહનો ત્યાગ કરતાં વેદના અનુભવાય છે. મરણ સમયે અનુભવાતી વેદના બધાની એક સરખી હોતી નથી. આ વેદના ખરેખર અવર્ણનીય હોય છે. પોતાના જીવનકાળ દરમ્યાન પરિચયમાં આવેલા સગા સ્નેહીજનો પરત્વે રાગ કર્યો હોવાથી તે બધાને હવે છોડીને ચાલ્યા જવું પડશે એવા વિચાર માત્રથી તથા પોતે પોતાના જીવનકાળ દરમ્યાન સખત પરિશ્રમ કરી પ્રાપ્ત કરેલું ધન, મોટરગાડી, બંગલા તથા અન્ય સંપત્તિ હવે બોગવવા નહીં મળે અને એ બધાને છોડીને ચાલ્યા જવું પડશે એ વિચાર માત્રથી પણ ઘણા ધ્રુજી ઉઠે છે. આમ મરણ સમયનું ઘણાનું દુઃખ ખરેખર અવર્ણનીય હોય છે. મરણ સમયની વેદના દરેકની જુદી જુદી હોય છે અને તે મોહના પ્રમાણમાં હોય છે. |
| |
(૧૦) જો આપણું મરણ જ ન થાત તો શું ?
મરણ અનિવાર્ય તો છે જ. આપણે મરણથી ભય પામીને ભાગવા ગમે તેટલા પ્રયાસ કરીશું તો પણ મરણ આપણો પીછો છોડશે નહીં. મરણથી બચવાના આપણા તમામ પ્રયાસો નિરર્થક જ સાબિત થશે. આમ છતાં આપણું મરણ જ ન થાય તો શું ? આ મુદ્દા પરત્વે પણ ચિંતન કરવા જેવું છે. આપણું મરણ ન થાય તો અન્ય તીર્યંચ ગતિના જીવનું પણ મરણ નહીં થાય. આપણને જે દેહ પ્રાપ્ત થયેલો છે તેમાં અનંતકાળ સુધી વાસ કરવો પડશે. જો કે આ શક્ય તો નથી જ પણ માનો કે આમ બને તો આ વિશ્વમાં જેટલા પણ મનુષ્યો તથા તીર્યંચ આદિ ગતિના જીવો છે તેમનું સંસાર પરિભ્રમણ અટકી જાય. કોઈ પણ જીવનો મોક્ષ પણ શક્ય ન બને. એક જ દેહમાં રહીને જીવન જીવવું પણ ત્રાસમય બની જાય. આ સમયે મનુષ્યો સામે ચાલીને મરણને ઝંખશે. |
| |
(૧૧) આપણા જીવનમાં સ્મરણ યોગ્ય શું છે ?
જ્ઞાનીઓના બોધ અનુસાર આપણે જીવનમાં બે જ વસ્તુ સ્મરણમાં રાખવા યોગ્ય છે : (૧) મરણ અને (૨) પ્રભુ સ્મરણ. જો મરણનું સ્મરણ હશે તો જ પ્રભુ સ્મરણ શક્ય બનશે. આપણા જીવનમાં આ બે સ્મરણ હશે તો જ પ્રભુ સ્મરણ શક્ય બનશે. આપણા જીવનમાં આ બે સ્મરણ ચોકીદારનું કાર્ય કરે છે, જેના કારણે આપણી ઘણી બધી ભૂલોથી, ગુન્હામાંથી તથા દોષોમાંથી બચી શકીએ છીએ. આ બે સ્મરણ આપણને નકામી વાતોમાં બરબાદ થતાં આપણા સમયને પણ બચાવી શકે છે અને જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરાવે છે. |
| |
|